સ્ર્ત્રીઓને પુરાણોમાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એમની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ર્ત્રીઓ તો છે જ - સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેચાતી સમસંવેદનાઓ છે. આ દ્રૌપદી 'આજની' છે - હજી જીવે છે ક્યાંક, તમારા અને મારામાં પણ...! એક સ્ર્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હ્રદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે.